ગ્લોસરી

સામાન્ય

Bilingual courses are courses which are taught in two languages. All students will hear daily meditation instructions in both languages. The evening discourses will be heard separately.

Old students are those who have completed a 10-day Vipassana Meditation course with S.N. Goenka or his Assistant Teachers. Old students have the opportunity to provide Dhamma Service at the courses listed.

All courses are run solely on a donation basis. All expenses are met by donations from those who, having completed a course and experienced the benefits of Vipassana, wish to give others the same opportunity. Neither the Teacher nor the assistant teachers receive remuneration; they and those who serve the courses volunteer their time. Thus Vipassana is offered free from commercialisation.

Meditation courses are held at both center and non-center locations. Meditation centers are dedicated facilities where courses are held regularly throughout the year. Before meditation centers were established in this tradition, all courses were held at temporary sites, such as campgrounds, religious retreat centers, churches and the like. Today, in regions where centers have not yet been established by local students of Vipassana who live in the area, 10 Day meditation courses are held at non-center course sites.


Course Type

Old Student Short Courses (1-3 days) are for any student who has completed the 10-day course with S.N. Goenka and his assistant teachers. All old students are welcome to apply to attend these courses, including those where it has been some time since their last course.

10-દિવસીય શિબિરોવિપશ્યના ધ્યાન માટે પ્રારંભિક અભ્યાસક્રમ છે જ્યાં આ પદ્ધતિ દરરોજ ક્રમશઃ શીખવવામાં આવે છે. શિબિરો 2 - 4 વાગ્યાના રજિસ્ટ્રેશન અને શિબિર પૂર્વ ની સુચનાઓ પછી શરૂ થાય છે, ત્યારબાદ પૂરા 10 દિવસનું ધ્યાન, અને 11 મા દિવસે સવારે 7:30 વાગ્યે શિબિર સમાપન થાય છે.

10-દિવસીય એક્ઝિક્યુટિવ શિબિરોખાસ કરીને બિઝનેસ એક્ઝિક્યુટિવ અને સરકારી અધિકારીઓ માટે વિપશ્યના ધ્યાન માટેની પ્રારંભિક શિબિર છે જ્યાં આ પદ્ધતિ દરરોજ ક્રમશઃ શીખવવામાં આવે છે. વધુ માહિતી માટે કૃપા કરીને એક્ઝિક્યુટિવ શિબિર વેબસાઇટ ની મુલાકાત લો. શિબિરો 2-4 વાગ્યાના રજિસ્ટ્રેશન અને શિબિર પૂર્વ ની સુચનાઓ પછી શરૂ થાય છે, ત્યારબાદ પૂરા 10 દિવસનું ધ્યાન, અને 11 મા દિવસે સવારે 7:30 વાગ્યે શિબિર સમાપન થાય છે.

જૂના સાધકો માટે ની 10-દિવસીય શિબિરોની સમય સારણી અને અનુશાસન સંહિતા 10-દિવસીય શિબિરોની જેમ જ છે. આ શિબિરો ગંભીર જૂના સાધકો માટે છે જેમણે ત્રણ 10-દિવસીય શિબિરો અને એક સતિપટ્ઠાન સૂત્ર શિબિર કર્યા હોય, છેલ્લા 10-દિવસીય શિબિર પછી અન્ય કોઈ સાધના વિધિ નો અભ્યાસ નથી કરી રહ્યા, ઓછા માં ઓછું એક વર્ષ થી આ વિપશ્યના નો અભ્યાસ કરી રહ્યા છે, એમના જીવન માં પંચ-શીલના પાલન માટે પ્રયત્નશીલ છે, અને નિયમિત સાધના માટે પ્રયત્નશીલ છે.

10-દિવસીય વિશેષ શિબિરોફક્ત એવા ગંભીર જૂના સાધકો માટે છે, જેઓ આ વિદ્યા પ્રત્યે સમર્પિત છે જેમણે ઓછા માં ઓછી પાંચ 10-દિવસીય શિબિરો, એક સતિપટ્ઠાન સૂત્ર શિબિર કર્યા હોય, ઓછા માં ઓછી એક 10-દિવસીય શિબિર માં ધમ્મ સેવા આપેલી હોય, અને ઓછા માં ઓછું બે વર્ષ થી નિયમિત બે કલાક સાધના કરતા હોય.

20-દિવસીય શિબિરોફક્ત એવા ગંભીર જૂના સાધકો માટે છે, જેઓ આ વિદ્યા પ્રત્યે સમર્પિત છે જેમણે ઓછા માં ઓછી પાંચ 10-દિવસીય શિબિરો, એક સતિપટ્ઠાન સૂત્ર શિબિર કર્યા હોય, ઓછા માં ઓછી એક 10-દિવસીય શિબિર માં ધમ્મ સેવા આપેલી હોય, અને ઓછા માં ઓછું બે વર્ષ થી નિયમિત બે કલાક સાધના કરતા હોય.

30-દિવસીય શિબિરો ફક્ત એવા ગંભીર જૂના સાધકો માટે છે, જેઓ આ વિદ્યા પ્રત્યે સમર્પિત છે જેમણે ઓછા માં ઓછી છ 10-દિવસીય શિબિરો (એક તેમના પ્રથમ 20-દિવસીય શિબિરપછી કરેલી હોય), એક 20-દિવસીય શિબિર, એક સતિપટ્ઠાન સૂત્ર શિબિર કર્યા હોય, અને ઓછા માં ઓછું બે વર્ષ થી નિયમિત બે કલાક સાધના કરતા હોય.

45-દિવસીય શિબિરો ફક્ત સહાયક આચાર્યો માટે અથવા એવા સાધકો માટે જે ધર્મ સેવા માં જોડાયેલા છે જેમણે ઓછા માં ઓછી સાત 10-દિવસીય શિબિરો (એક તેમના પ્રથમ 30-દિવસીય શિબિરપછી કરેલી હોય), બે 30-દિવસીય શિબિરો, એક સતિપટ્ઠાન સૂત્ર શિબિર કર્યા હોય, અને ઓછા માં ઓછું ત્રણ વર્ષ થી નિયમિત સાધના કરતા હોય.

60-દિવસીય શિબિરો ફક્ત સક્રિય આચાર્યો અને સહાયક આચાર્યો માટે જેમણે બે 45-દિવસીય શિબિર કરી હોય અને દર વર્ષે ઓછા માં ઓછી 4 શિબિરો નું સંચાલન કરતા હોય.

બાળકોની શિબિરો 8 થી 12 વર્ષના સૌ બાળકો માટે જે ધ્યાન શીખવા માંગે. એમના માતા-પિતા /વાલીઓ એ વિપશ્યના સાધક હોવું જરૂરી નથી.

જૂના સાધકો માટેના કાર્યક્રમો એવા જ હોય છે જેમ કે સેવા સમય જ્યાં કેન્દ્રની મરમ્મત, બાંધકામ, રૂમોની સફાઈ અને બાગકામ જેવી યોજનાઓ પર કામ કરવાનો સમય છે, પણ વધુ સંપૂર્ણ અને સુનિયોજિત પ્રોગ્રામ છે, સહાયક આચાર્યો અને સંભવતઃ સમિતિ તથા ટ્રસ્ટ મીટિંગ્સને મળવાની તક છે. સૌ જૂના સાધકો નું ભાગ લેવા સ્વાગત છે. રોજીંદા કાર્યક્રમમાં સવાર બપોરના કાર્ય-સમય સાથે ત્રણ સામૂહિક સાધનાનો સમાવેશ થશે અને સાંજે ગુરુજીના જૂના સાધકો માટેના વિશેષ પ્રવચનો સંભળાવવામાં આવશે.

જાહેર દિવસો બે શિબિરોની વચગાળાના સમયમાં રાખવામાં આવે છે. વિપશ્યના સાધના અને કેન્દ્ર વિષે જાણવા સૌનું સ્વાગત છે.

સતિપટ્ઠાન સૂત્ર શિબિરો ની સમય સારણી અને અનુશાસન સંહિતા 10-દિવસીય શિબિરોની જેમ જ છે. ભિન્નતા એ છે કે સાંજના પ્રવચનોમાં સતિપટ્ઠાન સૂત્ર ને ધ્યાનપૂર્વક સમજાવેલ છે. આ એ મુખ્ય ઉપદેશ છે જેમાં વિપશ્યના સાધના વિધિને વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવી છે. આ શિબિરો એવા જૂના સાધકો માટે છે જેમણે ઓછામાં ઓછી ત્રણ 10-દિવસીય શિબિર કરી છે (સેવાની શિબિરો ને ગણ્યા વિના), છેલ્લા 10-દિવસીય શિબિર પછી અન્ય કોઇ ધ્યાન સાધનાનો અભ્યાસ નથી કરી રહ્યા, ઓછામાં ઓછું છેલ્લા એક વર્ષથી આ વિપશ્યનાનો અભ્યાસ કરી રહ્યા છે, અને જેઓ જ્યારથી આ શિબિરની અરજી કરી છે ઓછામાં ઓછું ત્યારથી તેમના દૈનિક જીવનમાં વિપશ્યના અને પાંચ શીલનું પાલન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

જૂના સાધક ના સ્વયં શિબિર ની સમય સારણી અને અનુશાસન સંહિતા 10-દિવસીય શિબિરોની જેમ જ છે. ભિન્નતા એ છે કે કોઈ આચાર્ય હાજર નથી હોતા. આ શિબિરો જૂના ગંભીર સાધકો માટે છે જેમણે ઓછામાં ઓછી ત્રણ 10-દિવસીય શિબિરો પૂર્ણ કરી છે, એમના છેલ્લા 10-દિવસીય શિબિર પછી અન્ય કોઈ ધ્યાન સાધનાનો અભ્યાસ નથી કરતા, ઓછામાં ઓછું એક વર્ષથી આ વિપશ્યનાનો અભ્યાસ કરી રહ્યા છે, અને જેઓ તેમના દૈનિક જીવનમાં પાંચ શીલનું પાલન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

કાર્ય સમયગાળા વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સ જેમ કે કેન્દ્ર મરમ્મત, બાંધકામ, રૂમોની સફાઈ, બાગકામ પર કામ કરવા નિર્ધારિત કરવામાં આવ્યા છે. સૌ જૂના સાધકો નું ભાગ લેવા સ્વાગત છે. રોજીંદા કાર્યક્રમમાં સવાર બપોરના કાર્ય-સમય સાથે ત્રણ સામૂહિક સાધનાનો સમાવેશ થશે. કોઈ - કોઈ સાંજે ગુરુજીના જૂના સાધકો માટેના વિશેષ પ્રવચનો સંભળાવવામાં આવશે.

કિશોરોની આનાપાન શિબિરો 13 થી 18 વર્ષના કિશોર - કિશોરીઓ માટે વિભિન્ન ઉમ્મરના જૂથો માટે ઉપલબ્ધ છે. એમના માતા-પિતા /વાલીઓ એ વિપશ્યના સાધક હોવું જરૂરી નથી.